સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
http://www.sainikwelfare.gujarat.gov.in

માહિતી કક્ષની વિગતો

7/13/2025 9:58:31 PM

નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય
ગૌરવ સેનાની ભવન
શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ
અમદાવાદ-૩૮૦૦૦૩.

જિલ્લા સૈનિક અને પુનર્વસવાટ કચેરીઓ માજી સૈનિકના કલ્યાણની યોજનાના અમલી કરણ કરવા માટે એકઝકયુટીવ કચેરી તરીકે કામગીરી બજાવે છે. આ કચેરીઓ પોતાના કાર્યક્ષેત્રનીચે આવતા જિલ્લાઓમાં વસવાટ કરતા માજી સૈનિકો તથા તેઓના આશ્રીતોના વિવિધ કલ્યાણની કાળજી રાખે છે. માજી સૈનિક અને તેઓના આશ્રીતો કલ્યાણ સબંધી યોજનાની જાણકારી પોતાની સબંધીત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની રૂબરૂ મુલાકાત લઈને અથવા પત્ર ઘ્વારા મેળવી શકે છે. વિવિધ માહિતી મેળવવા બાબતની સુવિધા/ માઘ્યમ અને માજી સૈનિકોને ઉપલબ્ધ સવલતોની વિગત ટેબલ ફોર્મમાં નીચે દર્શાવેલ છે -

ક્રમ

સુવિધા/માઘ્યમ

નાગરિકોને ઉપલબ્ધ સવલતો

1

કચેરી નોટીસ બોર્ડ

અગત્યના પરીપત્રો, કલ્યાણ સહાય સબંધી માહિતી દરેક જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ ઘ્વારા પોતાના નોટીસ બોર્ડ પર સમય સમય પર મુકી માજી સૈનિકોને જાણકારી આપવામાં આવે છે.

યુનિટ સી. એસ. ડી. કેન્ટીન નોટીસ બોર્ડ

અગત્યના પરીપત્રો, સહાય સબંધી માહિતીમાં થયેલ ફેરફાર સબંધી માહિતીના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ ઘ્વારા સબંધીત યુનિટ સી. એસ. ડી. કેન્ટીનોને મોકલી તેઓના નોટીસ બોર્ડના માઘ્યમથી સમય સમય પર આવી માહિતી માજી સૈનિકો સુધી પહોંચતી કરવામાં આવે છે.

જિલ્લા માહિતી કચેરીઓના માઘ્યમથી અપાતી પે્રસ નોટ-વર્તમાન પત્ર

કલ્યાણ યોજનાઓ સબંધી માહિતીમાં થયેલ ફેરફાર બાબત ટુંકમાં જાણકારી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ ઘ્વારા પ્રેસ નોટના માઘ્યમથી આપવામાં આવે છે.

માજી સૈનિકોના સંમ્મેલન/ રેલી/ વર્કશોપ

માજી સૈનિકોને તેઓના કલ્યાણ બાબતની મહત્વની વિવિધ યોજનાઓની જાણકારી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ ઘ્વારા આયોજીત માજી સૈનિકોના સંમ્મેલન/ રેલી/ વર્કશોપમાં આપવામાં આવે છે.

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા અને રાજકોટમાં નિયત જગામાં ગ્રંથાલયની વ્યવસ્થા તથા બાકીની જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓમાં અસ્થાયી રીતે ગ્રંથાલયની વ્યવસ્થા

ટેબલ ખુરશી સાથે અલગથી બેસવાની વ્યવસ્થા કરી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓમાં આવતા માસીક અને પખવાડીક પત્રો જેવાકે સૈનિક પુર્નવસાટ, સૈનિક સમાચાર અને અન્ય પત્રીકાઓ વાંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણ

લેખીત અરજીના આધારે બપોરના ૩.૦ કલાકથી ૬.૦ કલાકના સમય ગાળામાં દર સોમવારે અરજદારે રેકર્ડના નિરીક્ષણની સવલત આપવાની વ્યવસ્થા તમામ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓમાં ઘ્વારા કરવામાં આવે છે.

દસ્તાવેજની નકલ મેળવવાની પઘ્ધતિ

સબંધીત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાંથી દસ્તાવેજની નકલ મેળવવા અરજદારે લેખીત રજુઆત કરવાની રહેશે.

ઉપલબ્ધ મળદિ્રત નિયમ સંગ્રહ

નિયમ સંગ્રહ-૧૭ માં આપેલ વિગત પ્રમાણે કલ્યાણ કારી યોજનાઓના અમલી કરણ માટે ઉપલબ્ધ મળદિ્રત નિયમ સંગ્રહ અરજદાર માજી સૈનિકને જરૂરી માર્ગદર્શન આપે છે.

વિભાગની વેબ સાઈટ

ગુજરાત રાજયના ગૃહ વિભાગની વેબ સાઈટ પર તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ કરવાની કામગીરી હાથ ઉપર છે.

૧૦

ટપાલ/ પત્ર વ્યવહાર

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ પત્ર વ્યવહારના માઘ્યમથી પણ માજી સૈનિક અરજદારને જરૂરી માહિતી તથા માર્ગદર્શન આપે છે.

૧૧

જન સંપર્ક અધિકારી

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નિયુકત કરાયેલ જન સંપર્ક અધિકારી મુલાકાતીઓને જરૂરી માહિતી/ માર્ગદર્શન આપવાની વ્યવસ્થા કરે છે.