સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ |
http://www.sainikwelfare.gujarat.gov.in |
નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ |
7/13/2025 9:22:30 PM |
|
નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજય ગૌરવ સેનાની ભવન શાહીબાગ-એરપોર્ટ રોડ,શાહીબાગ અમદાવાદ-૩૮૦૦૦૩.
આ માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવેલ છે -
ક્રમ |
આયોજન/માઘ્યમ |
નાગરીકોની સહભાગીતા મેળવવાની વ્યવસ્થા |
1
|
માજી સૈનિક સમ્મેલન/ માજી સૈનિકોની રેલી
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા પોતાના વિસ્તારના જિલ્લાઓમાં આવા સમ્મેલનથી માજી સૈનિકો, સ્વ. માજી સૈનિકોના ધર્મ પત્નિઓ સાથે સંપર્ક જાળવી તેઓના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહે છે.
|
ર
|
માજી સૈનિકોના સ્થાનીક સંગઠનો
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા પોતાના વિસ્તારના જિલ્લાઓમાં આવેલા માજી સૈનિકોના સ્થાનીક સંગઠનો સાથે સંપર્ક જાળવી તેઓના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહે છે.
|
૩
|
કલ્યાણકારી પ્રવૃત્તીમાં રસ લઈ આગળ પડતી કાર્યવાહી કરતા માજી સૈનિકો/ સેલ્ફ હેલ્પ ગ્રુપ
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ઘ્વારા પોતાના વિસ્તારના જિલ્લાઓમાં કલ્યાણકારી પ્રવૃત્તીમાં રસ લઈ આગળ પડતી કાર્યવાહી કરતા માજી સૈનિકો/ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે સંપર્ક જાળવી માજી સૈનિકોના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહે છે.
|
૪
|
રૂબરૂ તથા પત્રથી મળતી માજી સૈનિકોની રજુઆત
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાં રૂબરૂ તથા પત્ર ઘ્વારા માજી સૈનિકોની રજુઆત આધારે તેઓના પ્રશ્નો અને રજુઆતથી સતત અવગત રહેવામાં આવે છે.
|
પ
|
જિલ્લા સૈનિક બોર્ડની બેઠક
|
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી ઘ્વારા કલેકટર અને પ્રમુખ જિલ્લા સૈનિક બોર્ડના અઘ્યક્ષ સ્થાને બોલાવવામાં આવતી આ બેઠકમાં નિયુકત કરાયેલ માજી સૈનિક સભ્યોની હાજરીમાં માજી સૈનિકોના પ્રશ્નોની ચર્ચા અને તેના નિરાકરણ બાબતમાં ભલામણ કરવામાં આવે છે જે માજી સૈનિકોના કલ્યાણ સબંધી નીતી ધડતરમાં સહાયરૂપ બને છે.
|
૬.
|
રાજય સૈનિક બોર્ડની બેઠક
|
રાજય સૈનિક બોર્ડની બેઠકમાં નિયુકત કરાયેલ માજી સૈનિક સભ્યોની હાજરીમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીઓ તથા અન્ય જગ્યાએથી પ્રાપ્ત થયેલ માજી સૈનિકોના પ્રશ્ન અને ભલામણ પર વિચાર વિર્મશ કરવામાં આવે છે અને આ ચર્ચા વિચારણાને આધારે માજી સૈનિકોના કલ્યાણની યોજના બનાવી કાર્યન્વીત કરવામાં આવે છે.
|
|
|