પૂર્વ સૈનિકો / સ્વ. પૂર્વ સૈનિકનાં ધર્મપત્નીઓ માટે આર્થિક સહાય અને લાભો ગુજરાત રાજ્ય
(જે વ્યક્તિઓ ગુજરાત રાજ્યમાં અધિવાસ ધરાવતી હોય કે કાયમી ધોરણે વસવાટ કરતી હોય તેઓ ગુજરાત સરકાર દ્વારા અપાતી
સહાય અને સવલત મેળવવા માટે પાત્ર છે.)
રોજગાર
- રાજ્ય સરકારના ખાતાઓમાં, પંચાયતમાં તથા જાહેર સાહસોમાં વર્ગ ૩ અને વર્ગ ૪ માં અનુક્રમે ૧૦ ટકા અને ૨૦ ટકા જગ્યાઓ અનામત. (G.S./75-6-RES-1075/1060-G dated 4 March 1975 અને કેપી/૧૩/૮૯/પીઆરઆર/૧૦૮૧/૪૦૨૧/૮૧૩/ગુ..પં.અધિનિયમ,૧૯૬૧ તા. ૩૦ મે ૧૯૮૯)
- ગુજરાત સિવિલ સર્વીસની વર્ગ ૧ અને વર્ગ ૨ ની ૧ ટકા જગ્યાઓ અનામત. (આરઇએસ-૧૦૨૦૦૭-૪૫૬૯૮૧-ઘ.૨, તા. ૨/૩/૨૦૦૯)
- રાજ્યની પશુચિકિત્સો સેવામાં =વર્ગ-૧ અને ૨ની સીધી ભરતીથી ભરાતી જગ્યામાં ૨૫ ટકા જગ્યા અનામત (G.R.G.A.D., G.R.A. & C. Dept. NoRCT-1266 – 42068 - R dated 15 Jan 1968)
- લડાઈ/ઓપરેશનના કારણે કાયમી ખોડ પામેલ સૈનિકોને રોજગાર માટે વર્ગ ૩ અને ૪ની જગ્યા માટે પ્રાથમિક્તા-૧ આપવામાં આવે છે.
- લડાઈ/ઓપરેશનમાં મુત્યુ પામેલા કે કાયમી ખોડ પામેલા સૈનિકોનાં બે આશ્રિતોને સીધી ભરતીથી ભરાતી વર્ગ ૩ અને ૪ની જગ્યા માટે રોજગાર વિનિમય કચેરીમાં નામની નોંધણી કરાયા વગર રોજગાર આપી શકાય છે. તેઓને રોજગાર આપવા માટેની પ્રાથમિક્તા-૨ (એ) આપવામાં આવે છે.. (G.A.D. No RES -1175-1060-G, dated 29 Apr 1976)
- જે પૂર્વ સૈનિકનું ફરજ દરમ્યાન લડાઇ/ઓપરેશનમાં મૃત્યુ થયું હોય તેમના આશ્રિતને તેઓ યોગ્ય લાયકાત ધરાવતા હોયતો વર્ગ-૩ અને ૪ ની જગ્યાઓ ભરવા માટે થતી રોજગાર વિનિમય કચેરીની કાર્યવાહીમાંથી છૂટછાટ આપવામાં આવે છે.(G.A.D. No RES-1175-1060-G, dated 29 Apr 1976)
નોકરીમાં દાખલ થવા માટેની વયમર્યાદામાં છુટછાટ
- ભૂતપૂર્વ સૈનિકોને સીધી ભરતીથી ભરાતી વર્ગ ૩ અને ૪ની જગ્યા માટે તેમની હાલની ઉંમરમાં સશસ્ત્ર સેનાની નોકરી ઉપરાંત ૩ વર્ષની છૂટ આપવામાં આવે છે..(G.R.G.A.D. No WAR-1363-R, dated 18 Feb 1970)
પોલીસ ખાતાની ભરતીમાં માજી સૈનિકોને શારીરીક કસોટી માં છૂટછાટ
- પૂર્વ સૈનિકો માટે પોલીસ સબ ઇંસ્પેક્ટર(બિન હથીયારી), પોલીસ સબ ઇંસ્પેક્ટર(હથીયારી),પોલીસ કોંન્સ્ટેબલ (બિન હથીયારી/હથીયારી) તેમજ પોલીસ કોંન્સ્ટેબલ (એસ.આર.પી.)ની ભરતી માટે માજી સૈનિકો ને શારીરીક કસોટીમાં છૂટ અનુક્ર્મે ઠરાવ ક્રમાંક GG/45/RCT/1097/3757/C dated 18 May 2009, GG/GUJ/47/MHK/102008/2027/C dated 18 May 2009, GG/44/RCT/102004/2972/C dated 18 May 2009 અને GG/46/MHK/102008/1234/Part-II/C dated 18 May 2009 થી આપવામાં આવેલ છે.
મેટ્રિક પાસ ભૂતપૂર્વ સૈનિકોને ગ્રેજ્યુએટ સમકક્ષ ગણવા
પરીક્ષા ફીમાંથી મુક્તિ
- વર્ગ ૩ અને ૪ની ભરતી માટેના અરજી ફોર્મની કિંમત ચૂકવવાની તથા પરીક્ષાફી ભરવાની ભૂતપૂર્વ સૈનિકોને મુક્તિ આપવામાં આવેલી છે. (GR.GAD Notification No RES-1175-1060-G, dated 1 Sept 1975)
- નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (ગુજરાત)લિમિટેડ, એન.ટી.સી.(ભારત સરકારની શાખા)
- સ્થાનિક ટ્રેડ યુનિયનની સહમતીથી યુદ્ધ સૈનિકોનાં ધર્મપત્નીઓને તથા અન્ય સ્વ. સૈનિકોનાં ધર્મપત્નીઓને રોજગારનો અવસર આપવામાં આવશે.
પુનઃ નિયુક્તિ પામેલા પૂર્વ સૈનિકોને મળતી સવલતો
શૈક્ષણિક સવલતો / વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભુતપૂર્વ સૈનિકોનાં સંતાનો માટે અનામત જગ્યાઓ
ભૂતપૂર્વ સૈનિકો અને ગુજરાત રાજ્યમાં સેવારત એવા સશસ્ત્ર દળોના અધિકારી અને જવાનોનાં સંતાનો માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં નીચે મુજબ અનામત બેઠક રાખવામાં આવેલ છે.
અન્ય જગ્યાથી સ્કોલરશિપ કે શૈક્ષણિક સહાય ન લેનાર ભૂતપૂર્વ સૈનિકોનાં સંતાનોને ટ્યુશન ફી પરત મળી શકે છે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કરવો.
તબીબી સવલત
પુનર્વસવાટ ના લાભો
ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ફલેટો/મકાનો ની ફાળવણીમાં અનામત
- ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા બંધાયેલા એલ.આઇ.જી અને એમ.આઇ.જી યોજના હેઠળના મકાનો /ફલેટોમાં ૧૦ ટકા અનામત રાખવામાં આવેલ છે. (H.D. letter No. SaKas/RSB/1085/4431/F dated 5 March 1986)
ભાડે આપેલા મકાન ખાલી કરાવવા બાબત
રહેઠાણ માટે જમીન ની ફાળવણી
- પેન્શન ઉપરાંત વાર્ષિક રૂપિયા ૩૬૦૦૦/-થી નીચે આવક ધરાવતા ભૂતપૂર્વ સૈનિકોને બે ગુંઠા સુધીની ગામતળ જમીન વગર હરરાજીથી આપવાની જોગવાઈ (આ જોગવાઈમાં કર્નલ રેન્ક સુધીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ) (G.R.R.D. No LND-3988-3290(ii) A dated 15 Feb 1989 andG.R.R.D. No LND-3988-2637- A dated 27 March 2001
ખેતી માટે જમીન ની ફાળવણી
ખેતીની જમીન માટેની ટેનાસિટી (ગણોતધારો) રદ કરવા
- સશસ્ત્ર દળોના સભ્યો માટે ખેતીની જમીન ના ગણોતધારા ની જોગવાઇઓ રદ કરવા વિશેષ નિયમો ઘડવામાં આવ્યા છે. (Tenancy Laws amended suitably under the Gujarat Act, 24 of 1965)
ખેતીની જમીન ખરીદવાના હેતુથી પૂર્વ સૈનિકને ખેડૂતનો દરજ્જો આપવા બાબત
સી.એસ.ડી. ડેપોમાંથી ખરીદેલી કંન્ટ્રોલ વસ્તુ પર વેચાણવેરા ની માફી
- ગુજરાત સરકાર દ્રારા કેન્ટીન સ્ટોર ડીપાર્ટમેંટ અને યુનિટો ચલાવતી કેન્ટીન માંથી થતા માલ સામાનના વેચાણ પર “વેલ્યુ એડેડ ટેક્ષ”(VAT)ની માફી આપેલ છે.આ માફીના લાભો કેન્ટીન સ્ટોર્સ ડીપાર્ટમેંટ ના નિયમો મુજબ નિયત ઠરાવેલ અધીકૃત્ત વ્યક્તીઓને મળવા પાત્ર થશે. (Finance Department Notification No. (GHN-77) VAT-2006-S.5(2)(10)-TH dated19 July 2006)
- સશસ્ત્ર દળો દ્વારા નિર્ધારિત કરાયેલા કોટા મુજબ સી.એસ.ડી. કેન્ટીનમાંથી દારૂ ખરીદવા પૂર્વ સૈનિકોને અલગથી હેલ્થ (લિકર) પરમિટ આપવાની જોગવઈ કરવામાં આવેલી છે.(Social Welfare Dept. Notification No. GH-L/1/FLR/1088/19190/M dated 4 Jan 1989).
કાનૂની સહાય
- રાજ્યના ભૂતપૂર્વ સૈનિકો જેમની વાર્ષિક આવક રૂપિયા ૫૦,૦૦૦/-થી નીચે છે તેઓને તથા આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય અધિકારી નીચેના હોદ્દાના પૂર્વ સૈનિકોને તથા સ્વ. સૈનિકોનાં ધર્મપત્નીઓને મફત કાનૂની સલાહ આપવાની વ્યવસ્થા છે.(G.R.L.D. No. LAG-1076-2508/D, dated 18 Jun 1976).
સ્વરોજગાર
લઘુ ઉધોગ સ્થાપવા શેડ ની ફાળવણી તથા લઘુ ઉધોગની સ્થાપના માટે ની રાહતો
લઘુ ઉધોગ સ્થાપવા માટેની નીચે મુજબની રાહતો આપવામાં આવે છે(137th Meeting of G.I.D.C. held on 16th Apr 1974).
- લઘુ ઉધોગની સ્થાપના માટે જી.આઇ.ડી.સી તરફથી ૧૫% રાહત દરે શેડ/પ્લોટ ફાળવવામાં આવે છે.
- જી.આઇ.ડી.સી. દ્રારા પૂર્વ સૈનિક ને રાહત દરે લઘુ ઉધોગ નું એકમ સ્થાપવા માટે અગ્રતાક્રમ આપવામાં આવેલ છે.
ફિશિંગ / મચ્છીમારોની સવલતો
સસ્તા અનાજની દુકાન તથા જય જવાન સ્ટોલની અગ્રતાક્રમમાં ફાળવણી
ગુજરાત સરકાર તરફથી નાણાકીય સહાય
બહાદુરી પદક અને પ્રશંસનીય કામગીરીના પદક માટે રોકડ ઇનામ
બહાદુરી પદકો
- પરમવીર ચક્ર, રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦/-
- અશોક ચક્ર, રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦/-
- મહાવીર ચક્ર, રૂપિયા ૫૦,૦૦,૦૦૦/-
- કિર્તીચક્ર, રૂપિયા ૫૦,૦૦,૦૦૦/-
- વીર ચક્ર, રૂપિયા ૨૫,૦૦,૦૦૦/-
- શૌર્ય ચક્ર, રૂપિયા ૨૫,૦૦,૦૦૦/-
પ્રશંસનીય પદક ( બહાદુરી સિવાય)
- સર્વોત્તમ યુધ્ધ સેવા મેડલ, રૂપિયા ૫,૦૦,૦૦૦/-
- પરમ વિશિષ્ટ સેવા મેડલ, રૂપિયા ૫,૦૦,૦૦૦/-
- યુધ્ધ સેવા મેડલ, રૂપિયા ૧,૦૦,૦૦૦/-
- ઉત્તમ યુધ્ધ સેવા મેડલ, રૂપિયા ૩,૦૦,૦૦૦/-
- અતિ વિશિષ્ટ સેવા મેડલ, રૂપિયા ૩,૦૦,૦૦૦/-
- સેના / નૌસેના / વાયુસેના મેડલ, રૂપિયા ૧,૦૦,૦૦૦/-
- વશિષ્ટ સેવા મેડલ, રૂપિયા ૧,૦૦,૦૦૦/-
રહેમરાહે વળતર
- યુદ્ધ અને આંતરિક સુરક્ષા દરમિયાન મૃત્યુ પામેલા કે ઘવાયેલા સશસ્ત્ર સેનાના સૈનિકોને નીચે મુજબ વળતર આપવામાં આવે છે. (H.D. Resolution No. WES/1087/24/F dated 7 Nov 1990).
- કાયમી ખોડ ધરાવતા અથવા મૃત્યુ પામેલા સૈનિકો રૂપિયા ૫,૦૦૦/-
- અંશતઃ ઈજાગ્રસ્ત રૂપિયા ૨,૫૦૦/-
મુખ્ય મંત્રીશ્રીનું જવાન રાહત ભંડોળ
- વીરતા ભરી ફરજ બજાવતા શહીદ થયેલા જવાનનાં પરિવારને નીચે મુજબ સહાય ચૂકવવામાં આવે છે. (પરિણિત જવાનનાં પરિવાર માટે)
(અ) શહિદ જવાનાના ધર્મપત્નીને સહાય :
(i) રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ પુરા) ઉચ્ચક સહાય
અને
(ii) રૂ. ૫,૦૦૦/-(રૂપિયા પાંચ હજાર પુરા) માસિક સહાય (પત્ની જીવીત રહે ત્યાં સુધી કે પુનઃલગ્ન કરે તે બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી)
(બ) શહિદ જવાનાના બાળકોને સહાય :
(i) રૂ. ૫,૦૦૦/-(રૂપિયા પાંચ હજાર પુરા) માસિક સહાય પ્રતિ બાળક , વધુમાં વધુ બે બાળકો સુધી (તેઓ ૨૫ વર્ષ ની ઉમંરે પહોચે અથવા શૈક્ષણિક અભયાસ પુર્ણ કરે તે બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી)
(ક) શહિદ જવાનાના માતા-પિતાને સહાય :
(i) ૫,૦૦૦/-(રૂપિયા પાંચ હજાર પુરા) માસિક સહાય માતા તથા પિતા બન્નેને (માતા- પિતા જીવીત રહે ત્યા સુધી)
અપરિણીત જવાનનાં પરિવાર માટે
(અ) શહિદ જવાનાના માતા/ પિતાને સહાય :
(i) રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ પુરા) ઉચ્ચક સહાય
(ii) રૂ. ૫,૦૦૦/-(રૂપિયા પાંચ હજાર પુરા) માસિક સહાય માતા તથા પિતા બન્નેને (માતા- પિતા જીવીત રહે ત્યા સુધી)
૫૦ % કે તેથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને સહાય :-
(i) રૂ. ૨,૫૦,૦૦૦/- (રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા) ઉચ્ચક સહાય (અંપગ જવાનને)
(ii) રૂ. ૫,૦૦૦/-(રૂપિયા પાંચ હજાર પુરા) માસિક સહાય (અંપગ જવાનને જીવીત રહે ત્યા સુધી )